Uncategorized

નાનપણમાં તમે એક સવાલ તો સાંભળ્યો જ હશે કે “ બેટા મોટો થઈને શું બનવું છે તારે ?” 

મને હજી યાદ છે કે શાળામાં જયારે મને શિક્ષકે આ સવાલ પૂછ્યો ત્યારે મેં કહ્યું હતું “પાયલટ “ ના એનો અર્થ એવો નહિ કે મારે પાયલટ બનવું હતું પરંતુ જે નજર સામે કૈક નવીન દેખાયું એ મારો જવાબ હતો 

ડોકટર એન્જીનીયર ,પ્રોફેસર ,વૈજ્ઞાનિક , પાયલટ , સીએ જેવા ચીલાચાલુ જવાબો સ્વાભાવિક છે કારણકે આપણે માનીએ છીએ કે ઉચ્ચ શિક્ષણ લેવું વ્યવસાયિક ડીગ્રી લેવી અને ઉત્તમ પ્રકારની નોકરી સ્વીકારી જીવનમાં સેટલ થવું 

એ સમયે ખેલાડી થવું સંગીતકાર ,પેઈન્ટર ,કે એક્ટર થવું એવો જવાબ કોઈ આપતું નહિ કારણકે આ પ્રકારના કેરિયરમાં અનીશ્ચ્ચીત્તા છે પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે હવે આવા વ્યવસાયો પણ યુવાનો સ્વીકારવા માંડ્યા છે કારણકે સોશિયલ મીડિયા અને ટીવીના સતત આવા પ્રકારના રીયાલીટી શો ને લીધે હવે સમાજમાં જાગૃત્કતા આવી છે આ પ્રકારના વ્યવસાયિકો રાતોરાત સેલીબ્રેટી બની જતા જોઈ શકાય છે 

શિક્ષણ પૂરું થતાં સાચો કેરિયર માર્ગ લેવો એ નિર્ણય મહત્વનો છે પંરતુ આ બાબતની જાગરૂકતા અને માર્ગદર્શનના અભાવને કારણે આમ થઇ શકતું નથી 

મોટાભાગનાં લોકો માને છે કે રોકાણ કરવું એ મુખ્ય વ્યવસાય કરતાં કરતા સાઈડમાં બીજી પ્રવૃત્તિ છે આમાં તથ્ય છે પરંતુ આજે રોકાણકાર કહો કે ઇન્વેસ્ટર એ પણ મુખ્ય વ્યવસાય હોઈ શકે છે આના મુખ્ય ઉદાહરણો છે વોરન બફે રાકેશ ઝુનઝુનવાલા ચંદ્રકાંત સંપટ રાધાકૃષ્ણ દામાણી વગેરે 

ઇન્વેસ્ટર એક ઉત્તમ વ્યવસાય હોઈ શકે એનાં કારણો 

તમે તમારા પોતાના બોસ છો 

જો પંસદગી કરવાની હોય તો દરેકને પોતાના માટે જ કામ કરવું ગમે જ આનાં મુખ્ય બે કારણો છે એક તો યોગ્ય અનુભવને આધારે પગાર નથી મળતો અને નોકરીની અનીચ્ચ્ચતા માલિક તમને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી મૂકી શકે છે અથવા તમારા કરતા ઓછા અનુભવીને તમને અવગણીને પ્રમોશન આપી શકે છે 

રોકાણકાર તરીકેના વ્યવસાયમાં તમે પોતાના બોસ છો અને તમને ડેડલાઇન ટાર્ગેટ કે છટણીની ચિંતા નથી કરવાની 

તમે ગમે ત્યાંથી કામ કરી શકો છો 

એક માત્ર ઈન્ટરનેટના કનેક્શન સાથેનું લેપટોપ કે સ્માર્ટ ફોન માત્ર બસ છે આ વ્યવસાય માટે તમે કાફે કે ઘર અરે માલદીવમાં છુટ્ટીઓ મનાવી રહ્યા હોવ ત્યાંથી પણ આ વ્યવસાય થઇ શકે છે 

દાયકાઓ પહેલાં માત્ર ૫૦ કે ૬૦ વર્ષની ઉમરના લોકો જ સ્ટોક માર્કેટમાં દેખાતા પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે હવે તમે યુવાનોને પણ શેરબજારમાં રોકાણ કરતા જોઈ શકો છો અને મોટાભાગના એમાં સફળ પણ છે ઇન્વેસ્ટમેન્ટ વ્યવસાયમાં દરેક જાતના અનુભવનું મહત્વ છે સારા અનુભવ સાથે ભવિષ્યમાં તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી હોઈ શકે એનું પ્લાનિંગ કરી શકો 

હા દરેક વ્યવસાયમાં હોય એવા પડકારો અહી પણ છે જ અને એનાં માટે તમારે સફળ ઇન્વેસ્ટર તરીકે ગ્રેટ હોવું જરૂરી નથી 

પીટર લીચ કહે છે કે “ સફળ થવા દસમાંથી સાત કંપનીઓમાં મારાં રોકાણ સફળ થાય તો બસ છે અને જો દસમાંથી માત્ર છ જ રોકાણો સફળ થાય તો હું આભારી છું રોકાણની ઈર્ષા થવા માટે દસમાંથી છ રોકાણની સફળતા જ બસ છે 

ઇન્વેસ્ટર તરીકે સફળ થવા શું કરવું જોઈએ ?

સૌથી પહેલાં તો અનુભવ લેવા પહેલી નોકરી સ્વીકારો ત્યારે એના પહેલાં પગારથી જ રોકાણની શરૂઆત કરવી જોઈએ જેટલા વહેલાં શરૂઆત કરો એટલું લાંબાગાળે વળતર વધુ રહે છે આને પાવર ઓફ કમ્પાઉન્ડીંગ કહે છે નિષ્ફળતાથી ડરવું નહિ થોડુંઘણું નુકશાન તો દરેક ધંધામાં થાય 

અહી ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે થોડું થોડું રોકાણ કરતા જવું અને ધીમે ધીમે વધારતા જવું જુદી જુદી આઠ દસ ઇન્ડસ્ટ્રીમાં પંદર થી વીસ કંપનીઓમાં રોકાણ કરવું આમ ડાયવર્સીફાય કરવું જેથી નુકશાનીનું જોખમ ઘટે 

ઇન્વેસ્ટર તરીકે લાંબાગાળાના રોકાણ આવશ્યક છે કારણકે ઇન્વેસ્ટર તરીકે તમે ધંધામાં ભાગીદાર બનો છો અને ધંધાને વિકાસ થતા વાર તો લાગે જ આમ ત્રણ થી પાંચ વર્ષના રોકાણનું આયોજન કરવું 

કંપની અંગે રીસર્ચ આવશ્યક છે એ માટે કંપનીના ફન્ડામેન્ટલસ મેનેજમેન્ટ ની ક્વોલીટી અને વિકાસની તકો જોવું મુખ્ય છે આથી માત્ર તમે જ રીસર્ચ ના કરતા રીસર્ચ વ્યવસાયિકની સલાહ ઉપયોગી બની રહે છે એ તમને કેમ રીસર્ચ કરવું એ પણ શીખવે છે 

તમે પણ આ ઇન્વેસ્ટમેન્ટ વ્યવસાયમાં ઝંપલાવી શકો છો વોરન બફે કહે છે કે 

“ તમારી પાસે ૧૨૦ કે ૧૩૦ આઇક્યુ થી વધુ પોઈન્ટ હોય તો એ વધારાના પોઈન્ટ ભૂલી જાઓ ચાલશે તમને અહી ઇન્વેસ્ટર તરીકે સફળ થવા એથી વધુ એક્સ્ટ્રા ઈન્ટેલીજન્સ ની અહી જરૂર નથી આમ તમે જલ્દી ૪૫ વર્ષની ઉમરે પણ નિવૃત થઇ શકશો  

તો સ્વીકારી લો ઇન્વેસ્ટર એ એક વ્યવસાય તરીકે અને બનો તમે જ તમારા બોસ 

નરેશ વણજારા 

શેરમાં લાંબાગાળાના રોકાણ અને સક્સેસન પ્લાનીંગની સલાહ માટે અહી ક્લિક કરો

આ ૧૦ ટકા રોકાણકારો જે ૯૦ ટકા રોકાણકારો કરે છે એનાથી વિરુદ્ધ કરે છે 

  • તેઓ અફવાઓ અને ટીપ્સને આધારે રોકાણ નથી કરતા 
  • તેઓ પેની સ્ટોકમાં રોકાણ નથી કરતાં 
  • તેઓ શોર્ટ ટર્મ કે ઇન્ટ્રાડેમાં ટ્રેડીંગ નથી કરતા 
  • તેઓ ખુબ ધીરજવાન બની રોકાણ કરે છે 
  • તેઓ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓમાં રોકાણ કરે છે 

આ ૧૦ ટકા રોકાણકારો વેલ્થ ઉભી કરવા આવું બધું જ કરે છે છતાં તેઓ એવી ભૂલો કરતાં હોય છે કે જેથી વેલ્થ ક્રિયેશન થતું નથી 

આ ભૂલોને વિસ્તારથી જોઈએ 

આ લોકો સારી સારી કંપનીઓમાં રોકાણ કરે છે પરંતુ સારી કંપનીમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે છે 

દાખલા તરીકે સત્યમ કમ્યુટર જે એક સમયે સૌથી ઝડપી ગતિએ વિકાસ પામતી કંપની હતી અને એના ચેરમેન બી. રામ્લીન્ગમ રાજુ આઈટી કંપનીઓના પોસ્ટર બોય હતા અને વિશ્વના સીઈઓ સાથે એમની ઉઠાક્બેથક હતી 

રોકાણની દ્રષ્ટીએ આ ઉત્તમ કંપની હતી બીજી ઈન્ફોસીસ કહેવાતી હતી અને છતાં રોકાણકારોએ એમાં પૈસા ગુમવ્યા. શા માટે ?

જવાબ છે ૨૦૦૯માં બી. રામ્લીન્ગા રાજુએ શેરહોલ્ડરોને સંબોધતા સ્વીકાર્યું કે કંપનીએ નાણાંકીય ઘોટળો  કર્યો છે અને એના એક બિલિયન ડોલર કેશ રીઝર્વ ખોટા છે. આના પરિણામે સત્યમનો શેર પટકાયો અને રોકાણકારોના રૂ ૧૪૦૦૦ કરોડનું ધોવાણ થયું. 

હવે તમને પ્રશ્ન થશે કે જો બધું જ સમુસુતરું થઇ રહ્યું હતું તો પૈસાના ઘોટાળાની જરૂર શું હતી. આનો જવાબ છે લોભ. 

માયથાસ (અંગ્રેજી સત્યમનું ઊંધું ) ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે સત્યમની ગ્રુપ કંપની હતી એણે ખુબ બધી જમીનો હૈદરાબાદ મેટ્રો પ્રોજેક્ટ જ્યાં આવવાનો હતો એની આજુબાજુ લીધી હતી આ પ્રોપર્ટીના ભાવ વધવાની આશાને બદલે ત્યાં જમીનના ભાવમાં ૨૦૦૮માં ૫૦ ટકાનું ધોવાણ થઇ ગયું આવા સમયે સત્યમ આ માયથાસ ઈન્ફ્રાને ૧.૬ બિલિયન ડોલરમાં ખરીદીના શકી કારણકે શેર્હોલ્દારોએ આ ડીલ ને રીજેક્ટ કર્યું અને એથી બી રાજુને ઘોટાળા નો સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય ના રહ્યો. 

પોલીસે રાજુની ધરપકડ કરી અને સત્યમ ટેક મહેન્દ્રમાં મર્જ થઇ સત્યમમાં વર્લ્ડ ક્લાસ આઈટી કંપની બનવાની શક્યતા હતી પરંતુ મેનેજમેન્ટના લોભે એનું સત્યાનાશ કર્યું 

આમ આવા સમયે કંપનીના મેનેજમેન્ટ ક્વોલિટીનું આગવું મહત્વ છે.

બીજો દાખલો લઈએ રેનબેક્સીનો સિંગ ભાઈઓ રેનબેક્સીના જુના માલિકો નબળા મેનેજમેન્ટનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે જે પ્રતિષ્ઠિત સ્થાપિત કંપનીને ફડચામાં લઇ ગયું 

રેનબેક્સી વર્લ્ડ ક્લાસ ફાર્મા કંપની હતી જેના ઉત્પાદનો ખુબ પ્રતિષ્ઠિત અને આગવું આર એન્ડ ડી હતું કંપની ખુબ સારો દેખાવ કરી રહી હતી પરંતુ કંપનીના માલિકો માલવિન્દર મોહનસિંગ અને સીવિનદાર મોહન્સીન્ગે ફાયનાન્શિયલ સર્વિસીસ (રેલીગેર ) અને હેલ્થકેર (ફોર્ટીસ હેલ્થકેર )માં ડાઈવ્ર્સીફાય કરવાનું નક્કી કર્યું 

૨૦૦૮માં રેનબેક્સીને એમણે જાપાનની દાઈઇચી સેન્કોને વેચી અને રેલીગેર અને ફોર્તિસમાં રોકાણ કર્યું થોડાં સમયમાં ફોર્ટીસ દેશની મોખરાની હોસ્પિટલ ચેઈન બની અને રેલીગેર મોખરાની નોન ફાયનાન્સ બેન્કિંગ કંપની થઇ 

એક તરફ સિંગ ભાઈઓએ આશરે ૨૭૦૦ કરોડ રૂપિયા એમના આધ્યાત્મિક ગુરુ ગુરીન્દરસિંગ ધિલોન જે રાધાસ્વામી સત્સંગ ના સર્વેસર્વા હતા એને આપ્યા બીજી તરફ એમણે ફોર્ટીસ હેલ્થકેરના વિકાસ માટે ખુબ મોટી લોન લીધી ટુંકમાં નાણાકીય મીસ્મેનેજમેન્ટ અને એગ્રેસીવ વિકાસ ને લીધે સિંગ ભાઈઓના વેલ્થનું ધોવાણ થયું. આજે બંને ભાઈઓ સામે મની લોન્ડરિંગ અને નાણાંકીય ઘોટાળાના કેસો ચાલી રહ્યા છે 

સહેલાઈથી મળતી લોનને લીધે લોભ જાગે છે અને વધુ પડતા ડાઈવરસીફીકેશનને પ્રોત્સાહન આપે છે 

આ દસ ટકા લોકોએ આવી કંપનીઓમાં રોકાણ કરી વેલ્થ ઉભી કરી જેના પરિણામે દરેક તકમાં એમણે બેંક લોન ઉભી કરી જેથી ખોટા રોકાણને પ્રોત્સાહન આપે છે પરંતુ જો ઓછી મૂડી હોય તો આવી બાબતમાં આપણે વારંવાર વિચારીએ છીએ 

અહી રોકાણનો ઈગો પણ બાધારૂપ બની શકે છે. એકવાર તમે દસ ટકા સફળ રોકાણકારની યાદીમાં આવો એટલે અમુક રોકાણકારોને ઈગો આવી જાય છે કે “ હું મારા રોકાણના નિર્ણયમાં ખોટો હોઈ જ ના શકું “ આવો અહમ પ્રેક્ટીકલ રોકાણમાં બાધારૂપ બને છે 

તારમ્ય એ જ કે શેરબજારમાં નેવું ટકા લોકો પૈસા ગુમાવે છે અને ૧૦ ટકા સફળ થાય છે અને એમાં પણ માત્ર બે ટકા લોકો જ તગડી વેલ્થ ઉભી કરી શકે છે 

શેરમાં લાંબાગાળાના રોકાણ માટે અને સ્ક્સેસન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો 

નરેશ વણજા

શેરબજારમાં રોકાણકાર એ બાબતે મૂંઝવણમાં હોય છે કે “ એક તરફ એમનો અભ્યાસ અને એનાલિસિસ એમ કહે છે કે શેરને પકડી રાખો જયારે બીજી તરફ ગભરાહટભર્યું મન કહે છે વેચી દો “

“ રોકાણકારની મુખ્ય સમસ્યા –અરે એનો સૌથી મોટો દુશ્મન –મુખ્ય તો એ જાતે જ હોય છે “ 

—બેન્જામીન ગ્રેહામ 

જો તમે તમારી એનાલીટીકલ સ્કીલ પર અવલંબન રાખતા હો તો જુદાં જુદાં વેલ્યુએશન લઇ સ્ટ્રેટેજી નક્કી કરી તમે રોકાણ માટે તૈયાર હશો પરંતુ માનવીય લાગણીઓ આમ કરવા દેતું નથી ખાસ તો જયારે શેરની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે આવા સમયે શેરના ભાવ ઘટવાના કારણો અને એની અસર જાણ્યા વિના એ વેચી દેતો હોય છે અને ત્યાંથી પૂર્વગ્રહયુક્ત લાગણીઓની શરૂઆત થાય છે 

હાવર્ડ માર્કે કહ્યું છે કે “ સફળ થવા માટે રોકાણકારે માત્ર ફાયનાન્સ એકાઉન્ટસ અને અર્થશાસ્ત્ર જ નહિ સાયકોલોજીને પણ સમજવું મહત્વનું છે “   આપણે આ પૂર્વગ્રહોને જોઈએ 

ઓવરકોન્ફીડન્સ 

થોડાં રોકાણકારોને ફાંકો હોય છે કે તેઓ માર્કેટને ટાઇમ કરી શકે છે એટલેકે બજાર ક્યારે પડશે કે ઉચકાશે એની સફળ આગાહીઓ કરી શકે છે આવા ફાંકાને લીધે તેઓ વારંવાર ખરીદ વેચાણ કરે છે અને આથી એમનું વળતર ઘટે છે કારણકે લેવેચમાં દલાલી તથા અન્ય ખર્ચ વધે છે આવા રોકાણકારો એ ભૂલી જાય છે કે ક્યારે તેઓ નિષ્ફળ ગયા હતા અને સફળ એ નસીબને લીધે થયા હોય છે એ 

માહિતી અંગે પૂર્વગ્રહ 

બજારમાં માહિતીનો ધોધ જુદાં જુદાં માધ્યમોમાંથી વહેતો હોય છે જેવાકે આર્થિક ચેનલો છાપા સોશિયલ મીડિયા મિત્રો અને ઓળખીતાઓ તરફથી મળતી માહિતીઓ આવા સમયે સાચી અને પોતાના રોકાણને લાગતીવળગતી માહિતી જાણવું મુશ્કેલ બને છે 

આવા સમયે ઘણાં રોકાણકારો એમને બધી જ માહિતીઓ છે એમ વિચારી ખોટા શેરો એટલેકે નફો કરતા શેરો વેચી દેતા હોય છે અને નુકશાનકર્તા શેર પકડી રાખતા હોય છે વાસ્તવમાં આવા સમયે એમણે મરજીન ઓફ સેફટી યોગ્ય નિર્ણય લેવો જોઈએ 

બજારના ટ્રેન્ડ પ્રમાણે ચાલો એવો પૂર્વગ્રહ 

નફામાં આનંદ કરતાં નુકશાનનું દુઃખ વધુ હોય છે એ સ્વાભાવિક છે આવા સમયે રોકાણકાર જેના ભાવ વધી રહ્યા છે એક કંપનીના શેર વેચી દેતા હોય છે અને જેના ભાવ ઘટતા હોય એને પકડી રાખે છે અને વધુ નુકશાન કરી બેસે છે 

અહમનો પૂર્વગ્રહ 

ઘણાં શેરબજારમાં કમાતા હોય ત્યારે પોતાની બુદ્ધિને એનો શ્રેય આપતા હોય છે અને નુકશાન જાય ત્યારે ત્યારે નસીબને ગાળો આપે છે અને નહીકે પોતાની ભૂલને આને કારણે તેઓ આવી ભૂલ વારંવાર કરતા રહે છે 

ફાંકો 

“ હું જાણતો જ હતો કે આવું થશે “ આ વાક્ય કોણે નહિ સાંભળ્યું હોય ? આવા ફાંકા પણ તમારા પોર્ટફોલિયોને અસર કરી શકે છે 

શેરોમાં પૂર્વગ્રહયુક્ત રોકાણ કદી હોવું ના જોઈએ રોકાણ હંમેશા કંપનીના ફન્ડામેન્ટલસ અને અન્ય ડેટા તથા યોગ્ય રીસર્ચ કરીને જ થવું જોઈએ અને લાંબાગાળા માટેનું હોવું જોઈએ હા આ અઘરું છે પરંતુ મુશ્કેલ નથી 

જાસોન ઝ્વીગ કહે છે કે “ રોકાણ એ અન્યને હરાવવાની રમત નથી પરંતુ પોતાની રમત પર જ અંકુશ રાખવાની કવાયત છે “  સફળ રોકાણકારો આજ કરે છે અને આજ એક માર્ગ છે શેરબજારમાં સફળ થવાનો 

રીસર્ચ એન્ડ રેન્કિંગ

આ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અને કોઈ શેરમાં રોકાણ કે લેવેચ કરવાની સલાહ નથી શેરમાં રોકાણ કે લેવેચ કરવા તમારા નાણાંકીય સલાહકારની સલાહ અચૂક લેવી 

ભારત આજે વસ્તીને આધારે રોકાણની વિપુલ તકો અને ગ્રાહકલક્ષી માંગને આધારે સૌથી વધુ ગતિએ આગળ વધતું અર્થતંત્ર છે. 

વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા ધેટ ઈઝ ભારત!

તો ચાલો જોઈએ રોકાણકારો માટેની આ તકો. 

આજે આપણું અર્થતંત્ર 2.9 ટ્રીલીયન ડોલરનું છે જે થોડાં જ વર્ષોમાં બમણું થઇ વિશ્વનું ત્રીજા નંબરનું થઇ જશે આ વધારો ભારતના સૌથી મોટા મધ્યમ વર્ગને આભારી છે. 

વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતમાં મધ્યમ વર્ગના સરાસરી ૨૯ વર્ષનું આયુ ધરાવતા 46% કર્મચારીઓ હશે જે કુટુંબ દીઠ આવકનો 70% હિસ્સો ધરવતા રહેશે.

આની સીધી અસર યુવાનોના હાથમાં ખર્ચ કરવા વધુ આવક જે ખોરાક ટુ વ્હીલર કાર ગ્રાહકલક્ષી માલ કપડાં અને ઈલેક્ટ્રોનિક પર ખર્ચ કરશે જો ખર્ચ વધશે તો એ માટે લોન ખર્ચ પણ વધશે. 

બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપના ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી ) અંગેના શ્વેતપત્ર અનુસાર ઘરખર્ચમાં વધારો શહેરીકરણ અને વિભક્ત કુટુંબોને લીધે એફએમસીજી સેક્ટરમાં ગ્રોથ થશે. એફએમસીજી સેક્ટર આજે જે 65 બિલિયન ડોલર છે એ આવનારા 5-10 વર્ષ સુધી 13% થી 14% દરે વધી 2025 સુધીમાં 220-240 બિલિયન ડોલર થઇ જશે.

ભારત આજે 560 મિલિયન ઈન્ટરનેટ વપરાશકર્તા સાથે વિશ્વનું ચીન પછી ત્રીજા નંબરનું ડીજીટલ ગ્રાહક છે અને 2023 સુધીમાં આ આંકડો 666.40 મિલિયન વપરાશકર્તા  સુધી પહોચવાનો અંદાજ છે ભારતનો ઈન્ટરનેટ વપરાશકર્તા વધુ સ્પીડ માટે નેટવર્ક સ્વીચ કરતા અચકાતો નથી એથી અહી ટેલીકોમ ક્ષેત્રે ખુબ વિપુલ તક રહેલી છે.

આવનારી તકો:

ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હાઉસિંગ 

મેકેન્સી ગ્લોબલ ઇન્સ્ટીટયુટના અહેવાલ મુજબ 2025 સુધીમાં ભારતમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 69 શહેરો હશે આ શહેરોના વિકાસને ધ્યાનમાં લઈએ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ બિલ્ડીંગ મટીરીયલ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરસ કેપિટલ ગુડ્સ હાઉસિંગ ફાયનાન્સ વગેરે સેક્ટરની ખુબ માંગ રહેશે. 

મેન્યુફેક્ચરિંગ 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર ભારત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં 100 દેશોની ક્ષમતાના આધારે 30 માં ક્રમાંકે છે સરકારના “મેક ઇન ઇન્ડિયા“ અને “સ્કીલ ઇન્ડિયા“ કે જે 25 મોખરાના સેક્ટરમાં છે એના આધારે આ ક્રમાંક આપવામાં આવ્યો છે છેલ્લા ત્રણ થી ચાર વર્ષોમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના 10 માંથી 9 પેરામીટર્સમાં ભારત આગળ રહ્યું છે. 

ભારતમાં જીઈ સીમેન્સ એચટીસી ટોશિબા અને બોઇંગ જેવી જાયન્ટ કંપનીઓ પ્લાન્ટ નાખી રહી છે એથી ભારત હાઇટેક મેન્યુફેક્ચરિંગના હબ તરીકે ઉભરી રહ્યું છે. 

ઓટોમોબાઇલ્સ 

ભારતમાં  ઓટો પાર્ટ્સ અને ઓટોને લગતી ચીજોની ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા વર્ષોમાં ખુબ મોટો ગ્રોથ થયો છે આ ઇન્ડસ્ટ્રીઝ નો દેશના જીડીપીમાં 2.9 ટકાનો છે અને એનું 2018 ના વર્ષમાં ટર્નઓવર 51.2 બિલિયન ડોલર રહ્યું છે. 

ઓટોમોટીવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એસીએમએ) અનુસાર ઓટો પાર્ટ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 2021 સુધીમાં 100 બિલિયન ડોલરનું થઇ જશે અને 2026 માં એનું એકસપોર્ટ 80 થી 100 બિલિયન ડોલર થશે. 

ઇલેક્ટ્રોનિકસ

ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઝડપી ગતિએ વધી રહી છે જે 2020 સુધીમાં 400 બિલિયન ડોલર પર પહોચી જશે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વધારવા ભારતે એફડીઆઈ નિયમો હળવા કકર્યા છે જેમાં પોર્ટ બેઝ ઇલેક્ટ્રોનિક ક્લસ્ટર ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ટેકનોલોજી પાર્ક (ઇએચટીપી ) સ્પેશીયલ ઇકોનોમીક ઝોન (એસસીઝેડ) મુખ્ય છે.

ડીફેન્સ સેક્ટર 

શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર દેશ મટીને ભારત હવે શસ્ત્ર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ પગલાં લઇ રહ્યું છે આ માટે ભારતે ડીફેન્સ પ્રોક્યુરમેન્ટ પ્રોસીજર (ડીપીપી 2016) અને એફડીઆઈ માં સુધારા કર્યાં છે જે અનુસાર વિદેશી શસ્ત્ર ઉત્પાદકો ભારતના ઉત્પાદકો સાથે ભાગીદાર બનવા તરફ વળ્યા છે. 

તકો વિપુલ માત્રામાં છે તમારે એ માત્ર ઝડપી લેવાની છે. આ ઝડપી ગ્રોથ રેટને લીધે શેરબજારમાં આજ સુધી ઉછાળો જોવા મળ્યો એ તો કઈ નથી ભવિષ્યમાં એથી બમણો ઉછાળો આવશે.

આમ રોકાણની ઉત્તમ તકો છે જે સાચી અને યોગ્ય કંપનીઓમાં રોકાણ કરી ઝડપી લેવાનો આ સમય છે. 

રીસર્ચ એન્ડ રેન્કિંગ તમને સારી સારી ગ્રોથ પામતી કંપનીઓ શોધવામાં મદદ કરશે, સાથે સાથે એ કંપનીઓનું મોનીટરીંગ કરી તમને એનો પ્રોગ્રેસ જણાવતા રહેશે જે તમારા લાંબાગાળાના રોકાણના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થશે. 

પીએમએસ એટલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એ કઈ રીતે કામ કરે છે એ જાણતા પહેલા બે ઉદાહરણ લઈએ 

શેરબજારમાં લીસ્ટેડ કંપની ઓરીએન્ટ એબ્રેસીવ જે બહુ જાણીતી કંપની નથી એનો ભાવ ૧૯૯૬માં રૂ ૨૦ હતો કુલ કિંમત થઇ રૂ ૫૦૦ એના દસ રૂપિયાનો એક એવા ૨૫ શેરની આજે ૨૨ વર્ષે કિંમત કેટલી ? 

આજ સુધીમાં કંપનીએ ૨૫ શેરના એકએએક બોનસ આપ્યા અને થયા ૫૦ ત્યારબાદ ૫૦ બોનસ મળ્યા ૫૦ થયા ૧૦૦ અને ૧૦૦ ના થયા ૨૦૦ ત્યારબાદ કંપનીમાં વિભાજન થયું અને એમાંથી બે કંપનીઓ થઇ એક ઓરીએન્ટ એબ્રેસીવ અને બીજી ઓરીએન્ટ રીફેકટરી અને દસના શેરનું પણ વિભાજન થઇ એક રૂપિયાનો થયો એથી શેરહોલ્ડરોને ઓરીએન્ટ એબ્રેસીવ ના ૨૦૦૦ અને ઓરીએન્ટ રીફેકટરીના ૨૦૦૦ એમ શેર મળ્યા આજે ઓરીએન્ટ એબ્રેસીવનો ભાવ છે ૨૨ એટલેકે ૨૨ ગણા કુલ કિંમત થઇ ૪૪૦૦૦ અને ઓરીએન્ટ રીફેકટરીનો ભાવ છે ૨૦૪ એથી કુલ કિંમત થઇ ૪૦૮૦૦૦ બંને ની મળીને કુલ કિંમત થઇ ૪૫૨૦૦૦ ઓરીએન્ટ રીફેકટરી હાલ ડીવીદંડ આપે છે શેર દીઠ રૂ ૨.૫૦ એટલે થયા રૂ ૫૦૦૦ અને ઓરીએન્ટ એબ્રેસીવ ડીવીદંડ આપે છે ૨૫% એટલેકે રૂ ૫૦૦ તો આ બંને કંપનીના શેર જેની પાસે હોય એણે શા માટે વેચવા જોઈએ ?

હવે બીજી પ્રખ્યાત કંપની કોલગેટ નો દાખલો લઈએ આજથી ત્રીસ વર્ષ પહેલા કોલગેટના શેરનો ભાવ હતો રૂપિયા દસનો એક એમ ૫૦ શેરનો ભાવ હતો રૂ ૧૫૦૦ આજે ત્રીસ વર્ષ પછી પહેલા ૫૦ના બોનસ આવ્યા ૫૦ અને થયા ૧૦૦ ૧૦૦ ના થયા ૨૦૦ અને ૨૦૦ ના થયા ૪૦૦ આમ એક પછી એક બોનસ દ્વારા કુલ થયા ૨૮૦૦ ત્યાર બાદ કંપનીએ રૂ દસના શેરને રૂપિયા એકમાં બદલ્યો એથી એણે શેરહોલ્ડરોને શેર દીઠ રૂપિયા ૯ પાછા આપ્યા એટલેકે મૂળ ૧૫૦૦ રૂપિયા પર ૨૫૨૦૦ રૂપિયા પાછા આપ્યા આજે આ શેરનો ભાવ છે રૂ ૧૨૯૩ એટલે થયા રૂ ૩૬૨૦૪૦૦ પુરા અને કંપની શેર દીઠ ડીવીદંડ આપે છે રૂ ૨૦ એટલેકે ૨૮૦૦ પર થયા રૂ ૫૬૦૦૦ 

આવી ઘણી કંપનીઓ છે જેણે શેરહોલ્ડરોને ૧૫ થી ૨૦ વર્ષમાં લાખો રૂપિયા કમાવી આપ્યા જેમકે ઈન્ફોસીસ વિપ્રો વગેરે 

પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તમારા પૈસાનું આવી કંપનીઓમાં આમ જ લાંબાગાળાનું રોકાણ કરે છે બદલામાં એમની ફી ૧.૫ ટકા થી ૨ ટકા કુલ પોર્ટફોલિયો વેલ્યુ પર હોય છે  મ્યુચ્યુઅલફંડની ફી પણ ૨.૫ ટકા જેટલી જ હોય છે સેબીના માર્ગદશન મુજબ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ હેઠળ તમારી ઓછામાંઓછી રકમ રૂ ૨૫ લાખ હોવી જોઈએ અને તમને તમારા પોર્ટફોલિયોનો પર્ફોમન્સ અહેવાલ દર મહીને આપવાનો હોય છે એથી તમને તમારા પૈસાનું શું થાય છે એની દર મહીને જાણ થતી રહે છે 

પોર્ટફોલિયો મેનેજર તમારા પૈસાનું ૮ થી ૧૦ સેક્ટરની ૧૮ થી ૨૫ કંપનીઓમાં કંપની દીઠ ૫ ટકા સુધી  લેખે તમારા પૈસાનું રોકાણ કરે છે એથી જોખમ એકદમ ઘટી જાય છે 

પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપનીનું પોતાનું આખું રીસર્ચ ડીપાર્ટમેન્ટ હોય છે જે આવી કંપનીઓ સતત  શોધતી રહેતી હોય છે એમાં મુખ્યત્વે તેઓ કંપનીના છેલ્લા ૫ થી ૧૦ વર્ષનું પર્ફોમન્સ મેનેજમેન્ટની ક્વોલીટી જુએ છે વળી કંપનીનો વાર્ષિક ગ્રોથ રેટ ૧૫ ટકા થી ૧૮ ટકા કે વધુ છે કે નહિ એ જુએ છે વળી એમના ભાવી પ્રોજેક્ટ્સ નાણાકીય સધ્ધરતા બ્રાન્ડ વેલ્યુ નવી તકો ટેકનોલોજી સક્સેસન પ્લાનિંગ જેવી બાબતો પર પણ ધ્યાન આપે છે 

મ્યુચ્યુઅલફંડ ફંડમાં પણ પ્રકાર હોય છે જેમકે ઇક્વિટી ડેબ્ટ લાર્જ કેપ સ્મોલ કેપ મીડ કેપ વગેરે અને એ પ્રમાણે એમાં વધતું ઓછું જોખમ હોય છે દાખલા તરીકે સ્મોલ કેપ વધુ જોખમી અને લાર્જકેપ ઓછું જોખમી પરંતુ ૯૯ ટકા લોકોને ખબર નથી હોતી કે એમનું રોકાણ કયા ફંડમાં છે અને એ ફંડનો હેતુ શું છે જયારે પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં રોકાણકાર જોઈ શકે છે કે એના પૈસા કેવી કંપનીમાં રોકાણા છે અને કંપનીની ક્વોલીટી માપી શકે છે અને એનો બજાર ભાવ પણ રોજેરોજ જોઈ શકે છે 

પોર્ટફોલિયો મેનેજરની મુખ્ય સ્કીલ બે બાબતોમાં હોય છે એક તો જે કંપનીનો બજાર ભાવ ખુબ હોય જેમકે ઉપર જણાવેલ કોલગેટ નો ભાવ જે ૧૨૦૦ રૂ છે તો આવી કંપનીમાં રોકાણ કરાય કે નહિ ? આપણી એક ખોટી માન્યતા છે કે આવી ખુબ ઊચા ભાવની કંપનીમાં રોકાણ ના કરાય પરંતુ અમુક પોર્ટફોલિયો મેનેજર તો મારૂતિમાં પણ રોકાણ કરે છે જેનો ભાવ આજે રૂ ૬૦૦૦ કે વધુ છે અને એમના મતે એનો ભાવ પાંચ વર્ષમાં બમણો થશે એટલેકે વાર્ષિક ૨૦ ટકાથી વધુ વળતર આપણે જાતે આવી કંપનીમાં રોકાણ કરવાનું ટાળીએ જયારે પોર્ટફોલિયો મેનેજરનું એના પર સતત રીસર્ચ અને નજર રહેતી હોવાથી એ એમાં રોકાણ કરી શકે છે અને આપણને વધુ વળતર અપાવી શકે છે 

બીજી મહત્વની સ્કીલ છે ક્યારે કંપનીના શેર વેચી દેવા એની એને બરોબર જાણ થઇ જતી હોય છે અહી બે મુખ્ય બાબતો છે એક તો જો કંપનીમાં ઘોટાળો હોય તો એની જાણ એને તુરંત થશે કારણકે એ કંપનીના મેનેજમેન્ટના સંપર્કમાં પણ હોય જ છે અને બીજું કે હવે કંપનીમાં કોઈ ચાર્મ નથી રહ્યો હવે કંપની વધુ નફો નહિ કરી શકે ગ્રોથ ઓછો થઇ ગયો છે કે નુકશાનીમાં જાય છે તો આવા સમયે એ વેચવાનો નિર્ણય તુરંત લઇ લેશે અને આપણું નુકશાન બચાવી શકે છે જયારે આપણે ઘણીવાર લાગણીમાં આવી જઈ આશાવાદી બની નુકશાન વધુ કરી બેસીએ એવું બને 

આમ શેરમાં વધુ રકમનું રોકાણ કરવું હોય તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર ની સેવા લેવી યોગ્ય રહેશે રીસર્ચ એન્ડ રેન્કિંગ કંપની આ બાબતમાં માત્ર સલાહ જ આપતી હોવાથી તમે એના દ્વારા રૂ બે લાખની રકમના રોકાણથી પણ શેરબજારમાં રોકાણ કરી શકો છો અને યોગ્ય વળતર મેળવી શકો છો 

રીસર્ચ એન્ડ રેન્કિંગ અનુવાદ નરેશ વણજારા 

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે માટે આમાં દર્શાવેલ કંપનીમાં રોકાણ કરવાની સલાહ નથી પરંતુ એ માત્ર દ્રષાન્ટ રૂપે જ છે શેરમાં રોકાણ કરવા કે લેવેચ કરવા તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેવી

૧) યોગ્ય અને સાચા ધંધામાં રોકાણ કરો 

૨) લુક એટ બીગર પિક્ચર સમગ્ર બહોળા પિક્ચરને ધ્યાનમાં લો 

બંને મુદ્દાઓને વિસ્તારથી સમજીએ 

સાચા યોગ્ય અને નફાકારક ધંધામાં રોકાણ કરવું મહત્વનું છે ધ્યાન રહે કે રોકાણ એ થ્રિલ નથી પરંતુ સ્લો એન્ડ સ્ટેડી અને ધીરજથી તમે રમત જીતી શકો છો 

પીટર લીચે કહ્યું છે કે “જે ધંધાને તમે પેન્સિલથી ચીતરી ના શકો એમાં રોકાણ કરવું નહી “

ધંધાનો ઊંડો અભ્યાસ જરૂરી છે કારણકે તમે જયારે ધંધો મજબુત ફંડામેન્ટલ સાથે ખરીદો છો ત્યારે તમને ખાત્રી હોય છે કે લાંબાગાળામાં બજારની તેજી મંદી ને ખમી શકશે અને સાથે સાથે તમારી મુડીને ચક્રવૃદ્ધિ દરે વધારશે આને દાખલાથી સમજીએ 

મારુતિ સુઝુકી ૨૦૦૩ માં એક શેરે રૂ ૧૨૫ ના ભાવે બજારમાં લીસ્ટ થયો અને ડીસેમ્બર ૨૦૧૭ માં એનો ભાવ હતો રૂ ૧૦૦૦૦ કુલ ૮૦૦૦ ટકાનું વળતર ૧૫ વર્ષમાં જે ૨૦૦૮ ની મોટી મંદી અને અવારનવારના તેજી મંદીમાં પણ શકય બન્યું 

આજે પણ મારુતિ શા માટે રોકાણ માટે યોગ્ય છે ? એનું રહસ્ય છે 

૧) એ માર્કેટમાં ૫૦% હિસ્સા સાથે લીડર છે 

૨) એનાં માલની સરખામણી ન થઇ શકે એની પ્લાન્ટ કેપેસીટી હાજર માલ અને સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક અજોડ છે 

૩) આખા દેશમાં ફેલાયેલ સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક 

૪) શરૂઆતમાં નવા નવા કાર ખરીદનારની પસંદ તરીકેની બ્રાન્ડ ઈમેજ હતી એમાંથી આજે પ્રીમીયમ કાર બનાવનાર તરીકે ઉભરી આવી 

૫) મજબુત રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ 

૬) અંદાજીત આવનારા ત્રણ વર્ષમાં ૨૦ ટકા કમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ ના દરે વૃદ્ધિ 

૭) પીઈ મલ્ટીપલ ૨૧૫x એફવાય ૨૦E 

આ મજબૂતીને લીધે આજે પણ મારુતિના શેરમાં વૃદ્ધીની ક્ષમતા છે 

આવા ધંધામાં જ લાંબાગાળે વેલ્થ વધે 

આવા ધંધા ઓળખવા કઈ રીતે ?

ફંડામેન્ટલસ એકદમ ઓછું દેવું મૂડી પર વધુ વળતર તંદુરસ્ત બેલેન્સશીટ આવક અને વૃદ્ધિ અને સતત કેશ ફલો 

ક્વોલીટી ઓફ બીઝનેસ હરીફાઈમાં ટકી શકે એવો માલ સ્પસ્ટ કોર્પોરેટ ગવર્નસ પોલીસી અને રીક્સ મેનેજમેન્ટ પ્રોસેસ પારદર્શક અને કાબેલ અને દીર્ઘદ્રસ્ટા મેનેજમેન્ટ લીડરશીપ અને નિર્ધારિત ગોલ પુરા કારણો પ્લાન નવી ટેકનોલોજીનો સ્વીકાર અને નવી શોધો માટે નું સતત રીસર્ચ અને ડાયનેમિક ઇન્ડસ્ટ્રી લેન્ડસ્કેપ 

થોડી બુદ્ધિમતા અને રિસર્ચના સાધનો વડે તમે નબળા અને નુકશાનકારક ધંધાને ઓળખી શકો છો જે તમને આવતીકાલના વેલ્થ ક્રિએશન માં મદદરૂપ થાય છે 

હવે બીજા મુદ્દાને જોઈએ 

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ ગતિએ વૃદ્ધિ પામતું અર્થતંત્ર છે અને ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રીલયાન ડોલરનું અર્થતંત્ર ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે એવો અંદાજ છે 

૨૦૦૫માં ભારતનો જીડીપી ૮૦૦ બિલિયન ડોલર હતો ૨૦૧૦માં એક ૧.૬ ટ્રીલયન ડોલર થયો અને ૨૦૧૮માં વધીને ૨.૬ ટ્રીલયન ડોલર થયો આ વધારા પાછળ ગ્રાહકોએ કરેલ સૌથી વધુ ખર્ચ એમાં સૌથી મોટું કારણ છે પ્રજાની ખરીદશકિત વધી છે અને પ્રજા ખર્ચ પણ કરે છે ગ્રાહકનો આ ખર્ચ આજે ૧.૫ ટ્રીલયન ડોલરથી વધીને ૨૦૩૦માં ૬ ટ્રીલયન થવાનો અંદાજ છે મજબુત અર્થતંત્ર આજ દરે વૃદ્ધિ દર્શાવે છે 

આનું સૌથી મોટું ઉદાહરણ ૨૦૦૮ ની મંદી જયારે રોકાણકારો રોકાણકારો ગભરાટમાં બધું વેચીને ચાલ્યા ગયા હતા છતાં જે રોકાણકારો એ સમગ્ર બહોળા પિક્ચર ને જોયું ૨૦૦૮માં મંદી ના સમયમાં રોકાણ પકડી રાખી ઉલટાનું વધુ રોકાણ કર્યું એમણે બે વર્ષના ગાળામાં જ મોટો નફો કર્યો 

૨૦૦૮ના લેહમેન ક્રાઈસીસમાં બજાર ૬૧% પડ્યું જે ૧૮ મહિનામાં જ ૧૦૪% ઊછળ્યું મુંબઈ સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ જે નીચાણમાં ૩/૧૨/૨૦૦૮ના ૮૮૫૪.૮૧ હતો એ ૭ એપ્રિલના ૨૦૧૦માં વધીને ૧૮૦૪૭.૪૬ આંક થયો આનું કારણ એજ કે બજાર ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી પર ચાલે છે 

શું તમે આવા બીગર પિક્ચર ને જુઓં છો ?

કેસ લઈએ ઓક્ટોબર ૨૦૧૬માં સેન્સેક્સ હતો ૨૬૦૦૦ નવેમ્બરમાં વિચાર્યું અમેરિકાની ચુંટણીના પરિણામ શું આવે એ જોઈએ 

ડિસેમ્બર ૨૦૧૬ માં વિચાર્યું ડીમોનેટાઈઝનની શું અસર થાય એ જોઈએ 

૨૦૧૭માં જાન્યુઆરી માં વિચાર્યું યુપીની ચુંટણી પછી વાત 

માર્ચ ૨૦૧૭માં આરબીઆઈની પોલીસી આવે એની રાહ જોઈએ 

એપ્રિલ ૨૦૧૭માં સેન્સેક્સ ૩૦૦૦૦ 

જુન ૨૦૧૭માં જીએસટીની અસર જોઈએ 

જુલાઈ ૨૦૧૭માં ચોમાસું કેવું જાય છે એની રાહ જોઈએ  

ઓગસ્ટ ૨૦૧૭માં સેન્સેક્સ ૩૫૦૦૦ પર 

સપ્ટેમ્બર ૨૦૧૭માં થોભો અને રાહ જુઓ 

જાન્યુઆરી ૨૦૧૮માં સેન્સેક્સ ૩૫૯૬૫ બજેટમાં શું આવે છે એની રઝ્હ જોઈએ 

માર્ચ ૨૦૧૯ સેન્સેક્સ ૩૬૪૨૨ અને હજી મંદીની રાહ જોવાઈ રહી છે 

દાખલા તરીકે ડીસેમ્બર ૨૦૧૬માં ડીમોનેટાઈઝેશન હેઠળ સેન્સેક્સ ૨૬૫૦૦ -૨૬૮૦૦ સુધી હતો એ આશ્ચર્યજનક રીતે એપ્રિલ ૨૦૧૭માં વધીને ૩૦૦૦૫ થઇ ગયો 

પરંતુ આવા પ્રસંગોને અવગણી બીગર પિક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરો અને દેશનું અર્થતંત્ર વધી રહ્યું છે એ જુઓ સાથે સાથે ધંધાના ફંડામેન્ટલસ પર ધ્યાન આપો 

રીસર્ચ એન્ડ રેન્કિંગ 

આ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અને લેખમાં દર્શાવેલ કંપની માત્ર દ્રષ્ટાંત જ છે એમ રોકાણ કે લેવેચની સલાહ નથી શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો 

એક જુનો અને જાણીતો ટુચકો છે આ વિશે ….

“જો તમે શેરબજારમાં થોડાં પૈસા ગુમાવ્યા હોય અને એનો તમને અફસોસ હોય તો ચિંતા ના કરો. તમે એવી વ્યક્તિને પૂછો જેણે પોતે પણ શેરબજારમાં પૈસા ગુમાવ્યા હોય. તેથી તમને રાહત થશે કે તમે એના કરતાં ઓછા પૈસા ગુમાવ્યા.”

આ જુનો અને જાણીતો ટુચકો આજે પણ ચલણમાં છે. કારણકે આજે પણ 90 % લોકો શેરબજારમાં પૈસા ગુમાવે છે, એમાં શેરબજારના અઠંગ ખેલાડીઓ પણ આવી જાય છે.

શું આ શોકીંગ નથી? પરંતુ વાસ્તવિકતા છે. શેરબજારમાં લોકો પૈસા ગુમાવે છે એના ઘણાં કારણો છે. પરંતુ થોડાંક મહત્વનાં કારણો જોઈએ. 

અફવાઓ અને ટીપ્સનાં આધારે શેરમાં રોકાણ 

ઘણાં ખાસ તો નવાં રોકાણકારો મિત્રો, સગાં કલીગ્સ જેવાઓ પાસેથી ટીપ્સ લઈને રોકાણ કરે છે. પરંતુ તેઓ એ નથી જાણતા કે જેઓ ટીપ આપે છે તેઓ જાતે બીજા પાસેથી ટીપ્સ મેળવે છે. એમાં પાછુ ડીજીટલ દુનિયાએ મોકાણ કરી છે. સોશિયલ મીડિયા, બિઝનેસ ન્યુઝ ચેનલ્સ, વોટ્સએપ વગેરેએ બળતામાં ઘી ઉમેર્યું છે. 

જયારે તમે બિઝનેસ ચેનલ્સ ઓન કરો ત્યારે ત્યાં તમે જોશો કે બની બેઠેલા શેરબજારનાં નિષ્ણાંતો પૈસા કમાવા તમને મિલિસેકન્ડમાં લે-વેચ કરવાની સલાહ આપે છે અને આ નિર્દોષ રોકાણકારોને જાળમાં ફસાવે છે. આપણે આ મળતી ટીપ્સને સાચી માનીને રોકાણ કરીએ છીએ, પરંતુ હકીકત સાવ જુદી જ હોય છે. 

એક દાખલો જોઈએ. ઈમ્ફીબીમ એવેન્યુનો 

28 સપ્ટેંબર 2018માં ઈમ્ફીબીમ એવેન્યુના શેરનો ભાવ આશરે 71% પડ્યો જે રૂ.197 પરથી સીધો રૂ. 50 પર પટકાયો. જેનું કારણ હતું ટ્રેડરોના વોટ્સએપ ગ્રુપ પરનો મેસેજ જેનો રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને લોકો પોતાના શેર વેચવા તૂટી પડ્યા. નુકશાન એટલું ગંભીર હતું કે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરે સંદેશો મુક્યો કે “થોડાંક વોટ્સએપ ગ્રુપે અમારી કંપની વિશે અફવા ફેલાવી છે જેને લઈને બજારમાં ગેરસમજણ અને ગભરાટ ફેલાયો. અમે આવી અફવાને નકારીએ છીએ જે ખોટી છે અને બદઈરાદાપૂર્વક બદનામ કરવાની કોશિશ કરી રહી છે.” 

એમ કહેવાય છે કે “ખરાબ સમાચાર કોઈ બીજા માટે સારા સમાચાર હોય છે” આ ઇક્વિટી રોકાણની બાબતમાં સો ટકા સાચું છે. ઘણી વખત બનાવટી રીપોર્ટ મીડિયામાં જાણી જોઇને ફેલાવવામાં આવે છે જેથી બદઈરાદાવાળા પોતાનો સ્વાર્થ સાધી શકે. કારણકે તેઓ ઈચ્છતા હોય છે કે દરેક એને માની લઈ હરીફને પછાડે.

ગ્રેફાઇટ ઇન્ડિયાનો દાખલો લો. 2018માં એનો ભાવ રૂ.1000 થી વધીને રૂ. 1400 થશે એવી વાતો મીડિયા અને બીઝનેસ ન્યૂઝ ચેનલો પર ફેલાયેલી હતી. પરંતુ ચાર મહિના પછી આ જ ન્યુઝ ચેનલો અને વેબસાઈટસ એને વેચવાની સલાહ આપી રહ્યા હતા અને કહેતા હતા કે એનો ભાવ ઘટીને રૂ. 530 થશે. હાલ એનો ભાવ રૂ. 290ની આસપાસ ચાલે છે. 

જો તમે આવા ન્યુઝ ચેનલની ભલામણથી  રૂ 1000ની ખરીદી કરી હોત તો તમે વિચારો કે એથી કેટલું નુકસાન થાત. યાદ રહે કે દરેક માહિતી જરૂરી નથી એ બિનજરૂરી પણ હોઈ શકે.

પેની સ્ટોકમાં રોકાણ 

પેની એટલે સાવ સસ્તામાં મળતો સ્ટોક જે મુખ્યત્વે રૂ. 10થી ઓછો હોય, અરે પૈસામાં હોય. આ નીચો ભાવ ઘણાને આકર્ષક લાગે છે. પરંતુ કંપનીનો બજારભાવ અને કંપનીની રીયલ વેલ્યુ બંને જુદા છે. 

પેની સ્ટોકનું માર્કેટ કેપિટલાઈઝેશન ઓછુ હોય અને એના વિષે બજારમાં માહિતી બહુ ઓછી હોય છે. તેમાં મીસ્મેનેજમેન્ટની શક્યતા વધુ હોય છે. પેની સ્ટોકમાં રોકાણ એટલે તમારા પૈસા પાણીમાં નાખવા. ઘણાને ખુબ મોટું નુકસાન કર્યા પછી અક્કલ આવે છે.પ્રકાશ સ્ટીલએજ ,લાન્કો ઇન્ફ્રાટેક, જેમિની કમ્યુનીકેશન, અને બિરલા પાવર સોલ્યુશન આના થોડાક ઉદાહરણ છે. રોકાણકારોએ આ કંપનીઓમાં ૭૫%થી ૯૦% મૂડી ગુમાવી છે. 

ઇન્ટ્રાડે અને શોર્ટટર્મ ટ્રેડીંગમાં રચ્યાપચ્યા રહેવું 

ઘણાં રોજ કમ્પ્યુટર સામે બેસીને ઇન્ટ્રાડે અને શોર્ટટર્મ ટ્રેડિંગમાં રચ્યાપચ્યા રહે છે. કારણકે એ એમને થ્રિલ અપાવે છે, એમને એમાં સાહસ લાગે છે અને અહી રોજેરોજ ક્વિક મની રળી જલ્દી પૈસાદાર બની શકાશે એવી માન્યતા ધરાવે છે. પરંતુ વિશ્વાસ કરો જો તમને એક્સાઈટમેન્ટ જોઈતી હોય તો વેગાસ જાઓ ત્યાં કેસીનોમાં જુગાર રમો. કારણકે વેલ્થ ક્રિએશન એ કંટાળજનક લાંબી પ્રક્રિયા છે. 

સામાન્યપણે ઇન્ટ્રાડે અને શોર્ટટર્મમાં શરુઆતમાં નફો મળે એટલે તેઓ વધુનેવધુ ટ્રેડ વધુ માર્જીન રાખી ટ્રેડ કરે આમાં તેઓ ભૂલી જાય છે કે એકાદ ટ્રેડમાં નુકશાન તમારી પૂરી મૂડીનું ધોવાણ કરી શકે છે 

આનાથી પણ ખરાબ એટલે રિવેન્જ ટ્રેડીંગ જેઓ ઇન્ટ્રાડેમાં નુકશાન કરે તેઓ અને લોસ રીકવર કરવા બદલાની ભાવનાથી ઇન્ટ્રાડેમાં બજાર દુશ્મન હોય એવી માનસિકતાથી રમે છે અને આમ લાગણીઓ પ્રેક્ટીકલ નિર્ણય પર હાવી થઇ જાય છે પરિણામે વધુ નુકશાન કરે છે આ રિવેન્જ ટ્રેડીંગ સમ્પૂર્ણ મૂડી ધોવાણનું એક મુખ્ય કારણ હોય છે. 

ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીમાં રોકાણનો અભાવ 

ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોકમાં પારદર્શકતા અને તંદુરસ્ત બીઝનેસ મોડેલ હોય છે. આવી કંપનીઓ પ્રોફેશનલી વેલ્મેનેજ હોય છે. આવી કંપનીઓ કોઈપણ આર્થિક મંદીમાં ટક્કર ઝીલી શકે છે અને મંદી પછી પણ તેજીની શરૂઆત થાય ત્યારે તેઓ જ પ્રથમ ઉપર વધવા માંડે છે. 

2008માં સૌથી ખરાબ કરેકશન આવ્યું હતું. ઘણાએ ગભરાટમાં સારી સારી કંપનીઓના શેર બજારમાં નુકશાનીમાં વેચી દીધા હતાં. જાણે કે સારા દિવસો આવવાના જ ના હોય પરંતુ ચોવીસ મહિનામાં બજાર સુધર્યું અને જેમણે રોકાણ જાળવી રાખ્યું હતું એમણે વધુ નફો રળ્યો. 

થોડાંક દાખલાઓ જુઓ…

5


 તમે જોઈ શકો છો કે 90% રોકાણકારો નુકશાન કરે છે એની પાછળ ઘણાં કારણો છે. નફો ભૂલી જાઓ, ઘણાં તો પોતાની મૂડીનું ધોવાણ કરે છે અને એનો દોષ બજારને અથવા પોતાના નસીબને આપે છે.  

ઇક્વિટીમાં સફળતાપૂર્વકનું રોકાણ એ કઈ રોકેટ સાયન્સ નથી એ માત્ર સાચું રોકાણ. ધીરજ અને મોંઘી ભૂલોથી દુર રહેવાથી સફળ થવાય છે.                                    

Frequently asked questions

Get answers to the most pertinent questions on your mind now.

[faq_listing]
What is an Investment Advisory Firm?

An investment advisory firm is a company that helps investors make decisions about buying and selling securities (like stocks) in exchange for a fee. They can advise clients directly or provide advisory reports and other publications about specific securities, such as high growth stock recommendations. Some firms use both methods, like Research & Ranking, India’s leading stock advisory company, specializing in smart investments and long-term stocks since 2015.

An investment advisory firm is a company that helps investors make decisions about buying and selling securities (like stocks) in exchange for a fee. They can advise clients directly or provide advisory reports and other publications about specific securities, such as high growth stock recommendations. Some firms use both methods, like Research & Ranking, India’s leading stock advisory company, specializing in smart investments and long-term stocks since 2015.

An investment advisory firm is a company that helps investors make decisions about buying and selling securities (like stocks) in exchange for a fee. They can advise clients directly or provide advisory reports and other publications about specific securities, such as high growth stock recommendations. Some firms use both methods, like Research & Ranking, India’s leading stock advisory company, specializing in smart investments and long-term stocks since 2015.

An investment advisory firm is a company that helps investors make decisions about buying and selling securities (like stocks) in exchange for a fee. They can advise clients directly or provide advisory reports and other publications about specific securities, such as high growth stock recommendations. Some firms use both methods, like Research & Ranking, India’s leading stock advisory company, specializing in smart investments and long-term stocks since 2015.